Saturday, 20 January 2018

ઓસ્ટ્રેલિયા ગૃપ(AG)નું 43મું સભ્ય૫દ ભારતને મળ્યું

ભારત ઓસ્ટ્રેલિયા ગૃપ(AG)નું 43મું સભ્ય બન્યું છે. આ ગૃપ પરમાણું અપ્રચારની એક મહત્વપૂર્ણ વ્યવસ્થા છે, જેનો હેતુ રાસાયણિક કે જૈવિક હથિયારો પર રોક લગાવવાનો છે. મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રીઝીમ(MTCR) અને વાસેનાર અરેંજમેન્ટ(WA) પછી ચાર મુખ્ય નિયંત્રણ વ્યવસ્થામાંથી એક એજીનું સભ્યતા પદ મળતા ભારતને 48 સભ્યપદ ધરાવતા પરમાણું સમૂહ(NSG)માં પોતાની દાવેદારી નોંધાવવા માટે મદદ મળી શકે છે.

ઓસ્ટ્રેલિયા ગૃપ(AG) શું છે?
આ ગ્રુપની સ્થાપના 1985ની સાલમાં થઈ હતી, જયારે એક વર્ષ પહેલા પૂર્વ ઈરાક દ્વારા રાસાયણિક હથિયારોનો ઉપયોગ થયો હતો. ગ્રુપનો ઉદ્દેશ્ય સભ્ય દેશોની મદદ કરવાનો છે, જેમાં રાસાયણિક અને જૈવિક હથિયારોના પ્રચારને રોકી શકાય છે.

Friday, 19 January 2018

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે ગુરુવારે સવારે અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ કર્યું. ટૂંક સમયમાં તે દેશના વ્યૂહાત્મક દળોના કમાન્ડ (એસએફસી)માં શામેલ થશે. તે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે, અને પરમાણુ શક્તિથી સજ્જ છે. મિસાઈલની શ્રેણી પાંચ હજાર કિલોમીટર વિશે કહેવામાં આવી છે. ઓડિશાના અબ્દુલ કલામ આઇલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ બાબત એ છે કે આ મિસાઈલ ચાઇનાના ઉત્તર ભાગ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને મિસાઈલની સફળ સિદ્ધિ વિશે જણાવ્યું હતું કે, "પરમાણુ સક્ષમ બેલાસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું છે. આ મિસાઇલથી રાષ્ટ્રીય શક્તિમાં વધારો થયો છે."

અગ્નિ-5 મિસાઈલની મુખ્ય વિશેષતા:
·       *  એક સાથે વધારે જગ્યાઓ ઉપર હુમલાઓ કરી શકાય છે.
·       *  એક જ વારમાં અલગ અલગ દેશોના ઠેકાણા ઉપર હુમલો કરી શકાય છે.
·       *  અગ્નિ-5 મિસાઈલની ઉંચાઈ 17 મીટર  તથા વ્યાસ 2 મીટર અને વજન 50 ટન છે.
·       *  આ મિસાઈલની ગતિ ધ્વનિની ગતિ કરતા ૨૪ ગણી વધારે છે.

·      *   અગ્નિ1 ની પ્રહાર ક્ષમતા 700 કિમીની, અગ્નિ-૨ની પ્રહાર ક્ષમતા 2000 કિમીની, અગ્નિ-૩ની પ્રહાર ક્ષમતા 2500, અગ્નિ-4ની પ્રહાર ક્ષમતા 3500 કિમીની છે અને અગ્નિ-5ની પ્રહાર ક્ષમતા 5000 કિમીની જાણવા મળી છે.

Thursday, 18 January 2018

મોબાઈલની શોધ પછીના ૨૨ વર્ષે ભારતમાં પહેલો મોબાઈલ આવ્યો હતો

વિશ્વનો પહેલો મોબાઈલ ફોન માર્ટીન કૂપર નામના અમેરિકી એન્જીનીયરે બનાવ્યો હતો. તેમણે ૩ એપ્રિલ ૧૯૭૩ની સાલમાં વિશ્વને પોતાની શોધ બતાવી હતી. આ શોધ તેમણે સામાન્ય નાગરિક માટે બનાવ્યો હતો, પરંતુ તેનો ઉપયોગ આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો. માર્ટીન કૂપરે પોતાની ન્યૂ જર્સીમાં આવેલી બેલ લેબ્સ નામની કંપનીમાં પહેલો કોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે મોટોરોલા નામની પ્રતિષ્ઠિત કંપની સાથે કરાર કરી મોબાઈલનું ઉત્પાદન શરુ કર્યુ અને સીઈઓ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓને ૨૦૧૩ની સાલમાં માર્કોની પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વની પહેલી કોમર્શિયલ સેલ્યુલર ફોન સેવા એન્ટીટી નામની કંપનીએ ૧૯૭૯ની સાલમાં જાપાનથી શરુ કરી હતી. ત્યારબાદ ૧૯૮૧ની સાલથી ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનમાં મોબાઈલ ફોનની સેવા શરુ થઈ હતી. ૧૯૮૩ની સાલમાં અમેરિકાના શિકાગો શહેરમાં અમેરીટેક નામની કંપનીએ 1-G નેટવર્કની શરૂઆત કરી હતી. ભારતમાં મોબાઈલ ફોનની પ્રથમવાર સેવા ૧૫ ઔગષ્ટ ૧૯૯૫ની સાલમાં દિલ્હી ખાતે શરુ થઈ હતી.