રાષ્ટ્રીય પ્રતીકોથી આપનો ઈતિહાસ, વ્યક્તિત્વ અને વિશિષ્ટતા જાણવા મળે છે. પ્રતીકોથી દુનિયા સામે એક આગવી ઓળખ ઉભી થતી હોય છે. આવા પ્રતીકો વિશે આપણે જાણીએ.
ભારતના રાષ્ટ્રીય પ્રતીકો:
૧. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ- તિરંગો
૨૨ જુલાઈ ૧૯૪૭ની સાલમાં ભારતીય સંવિધાને તિરંગાને અપનાવ્યો હતો. તિરંગામાં કેસરી, સફેદ અને લીલા રંગને સ્થાન અપાયું છે. જેની પહોળાઈ અને લંબાઈ ૨:૩ ફૂટની છે, સાથે સાથે વચ્ચે નેવી બ્લ્યુ કલરનું રાખવામાં આવ્યું છે, જેમાં ૨૪ ખંભા બતાવવામાં આવ્યા છે. આ ચક્ર સારનાથમાં સ્થિત અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
૨. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન- અશોક સ્તંભ
મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા સારનાથમાં બનાવાયેલા સ્તંભમાંથી અશોક સ્તંભનું ચિહ્ન લેવામાં આવ્યું છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની સાલમાં દેશના ચિહ્ન તરીકે સ્વીકૃત કરવામાં આવ્યું હતું. અશોક સ્તંભના શિખર પર દેવનાગરી લીપીમાં 'સત્યમેવ જયતે'(સત્યની જ જીત થાય) લખાણ છે, જે મુન્દ્કોપ ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.
સ્તંભની શિખરમાં ચાર સિંહોની પ્રતિકૃતિ છે, જેમાં પાછળનો ભાગ થાંભલા સાથે જોડાયેલો છે. સંરચનાની સામે અહી ધર્મ ચક્ર(કાયદાનું ચક્ર) પણ છે. આ પ્રતીક શક્તિ, હિમ્મત, ગર્વ અને વિશ્વાસને પ્રદર્શિત કરે છે. પૈડાની એકબાજુ અશ્વ અને ખુંટની પ્રતિકૃતિ છે. જેના ઉપયોગ અને નિયંત્રણ પર પ્રતિબંધ કારનું કાર્ય રાજ્ય પ્રતીક ધારા, ૨૦૦૫ મુજબ કરવામાં આવ્યું છે.
૩. ભારતનું રાષ્ટ્રીય ગાન- જન ગણ મન
૨૪ જાન્યુઆરી ૧૯૫૦ની સાલમાં સંવૈધાનિક સભા દ્વારા ભારતના રાષ્ટ્રગાન તરીકે 'જન ગણ મન'ને અંગીકૃત કરાયું હતું. રવીન્દ્રનાથ ટાગોરે આ ગાન લખ્યું હતું. જેને પહેલીવાર ૨૭ ડીસેમ્બર ૧૯૧૧ની સાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા સત્રમાં ગાન થયું હતું. સંપૂર્ણ ગાનમાં લગભગ 52 સેકન્ડનો સમય લાગ્યો હતો, પરંતુ એનું લઘુ સંસ્કરણ(પહેલી અને અંતિમ પંક્તિ)ને પૂર્ણ કરવામાં ૨૦ સેકન્ડનો સમય લાગે છે.
૪. ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર- ભારત રત્ન
ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન અવોર્ડ છે. આ સન્માન અસાધારણ કાર્ય કરનાર વ્યક્તિને આપવામાં આવે છે. જેમાં વિજ્ઞાન, કળા, સાહિત્ય, રમત, અને સાર્વજનિક સેવાના ક્ષેત્રોમાં મળે છે. આ પુરસ્કારની શરૂઆત ૨ જાન્યુઆરી ૧૯૫૪માં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. જેને પુરસ્કાર મળે તેને મેડલ આપવામાં આવે છે.
૫. ભારતનું રાષ્ટ્રગીત- વંદે માતરમ
૧૯૫૦માં વાસ્તવિક વંદે માતરમની શરુઆતના બે છંદને આધિકારિક સ્વરૂપે ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું હતું. વાસ્તવિક વંદે માતરમ છ: છંદમાં છે. બંકિમચંદ્ર ચેટરજી દ્વારા બંગાલી અને સંસ્કૃતમાં ૧૮૮૨ની સાલમાં 'આનંદમઠ' નામના ઉપન્યાસમાં લખ્યું હતું. રાષ્ટ્રીય ગીતને પહેલીવાર 1896ની સાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજનૈતિક સંદર્ભે રવીન્દ્રનાથ ટાગોરે ગાન કર્યુ હતું.
૬. ભારતનું રાષ્ટ્રીય પશુ- વાઘ
ભારતના રાષ્ટ્રીય પશુ તરીકે વાઘ- રોયલ બંગાલ ટાઈગરને એપ્રિલ ૧૯૭૩ની સાલમાં ઘોષિત કરાયા હતા. જેના શરીર પર ચમકદાર પીળી પટ્ટી હોય છે. શક્તિશાળી અને મજબુતીના કારણે ભારતના ગર્વનું પ્રતીક છે. વાઘ ૨૦ વર્ષ જેટલું સરેરાશ આયુ ભોગવે છે. જેનું વૈજ્ઞાનિક નામ 'પેન્થરા ટાઈગ્રિસ' છે.
૭. ભારતનું રાષ્ટ્રીય ફૂલ- કમળ
કમળનું વૈજ્ઞાનિક નામ 'નીમ્યૂમ્બો ન્યૂસીફેરા' છે. જેને ભારતના રાષ્ટ્રીય ફૂલ તરીકે અંગીકૃત કરાયું છે. આ ફૂલ ભારતના પારંપરિક મુલ્યો અને સાંસ્કૃતિક ગર્વને પ્રદર્શિત કરે છે. જે ઉદારતા, જ્ઞાન, સમૃદ્ધિ, સન્માન, લાંબુ આયુષ્ય, નસીબ, દિલ અને માનસિક સુંદરતાનો દેખાવ કરે છે. જેનો પ્રયોગ દેશભરમાં ધાર્મિક અનુષ્ઠાનો વગેરે માટે કરવામાં આવે છે.
૮. ભારતનું રાષ્ટ્રીય ફળ- કેરી
કેરીનું વૈજ્ઞાનિક નામ 'મૈનજીફેરા ઈન્ડીકા' છે. જેને સર્વ ફળોના રાજાનો દરજો અપાયો છે.
૯. ભારતનું રાષ્ટ્રીય પક્ષી- મોર
ભારતીય મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકાર્યું છે. આ પક્ષી એકતાના સજીવ રંગો અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. જે સુંદરતા, ગર્વ અને પવિત્રતા દેખાય છે. ભારતીય વન્યજીવ(સુરક્ષા)ની ધારા ૧૯૭૨ મુજબ સંસદીય આદેશ પર સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન મુરુગાના વાહન તરીકે અને ઈસાઈઓમાં પુન:જાગરણનું પ્રતીક માનવામાં આવે છે.
૧૦. ભારતની રાષ્ટ્રીય રમત- હોકી
હોકીને ભારતની રાષ્ટ્રીય રમત તરીકે ત્યારથી મનાય છે, જ્યારથી ઓલિમ્પિકમાં હોકીએ ૬ ગોલ્ડમેડલ જીત્યા હતા.
૧૧. ભારતનું રાષ્ટ્રીય જળચર- ડોલ્ફિન
ગંગા નદીની ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પશુ તરીકે સ્વીકારવામાં આવી છે. જે પવિત્ર ગંગાની શુદ્ધતાને પ્રદર્શિત કરે છે. કેમકે ડોલ્ફિન સાફ અને સુદ્ધ પાણીમાં જ જીવતી રહી શકે છે.
૧૨. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ- વડ
ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડને માનવામાં આવ્યું છે. જે એકતા અને દ્રઢતાનું પ્રતીક છે. જે પ્રકારે ભારતના વિભિન્ન ધર્મ અને જાતિના લોકો એક સાથે રહે છે, તેવી રીતે વડલા માથે પણ નાના-મોટા જીવજંતુ નિવાસ કરે છે. વડલાનું ધાર્મિક મહત્વ છે અને ઔષધીય ગુણથી ભરપુર છે.
૧૩. ભારતની રાષ્ટ્રીય મુદ્રા- રુપયા
ભારત ગણરાજ્યની કરન્સી ભારતીય રુપયા (ISO Code: INR) છે. જેને સંબંધિત મુદ્દાને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયંત્રિત કરે છે. ભારતીય રૂપયાને "ર" દેવનાગરી વ્યંજન અને લેટીન અક્ષર "R" દ્વારા ચિન્હિત કરાયું છે. ૧૫ જુલાઈ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેની સાથે સિક્કામાં પણ શરૂઆત કરવામાં આવી છે.
૧૪. ભારતની રાષ્ટ્રીય નદી- ગંગા
ગંગા નદી ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી છે, જે ૨૫૧૦ કિમીના પહાડી, ડુંગરાળ અને મૈદાની વિસ્તાર સુધી ફેલાયેલી છે. નદીના પવિત્ર જળને સારા-માઠા પ્રસંગોએ વાપરવામાં આવે છે. ગંગાની ઉત્પતિ, હિમાલયમાં ગંગોત્રી ગ્લેસીઆર્સના હિમક્ષેત્રમાં ભાગીરથી નદીના સ્વરૂપે થઈ છે.
૧૫. ભારતના રાષ્ટ્રીયપિતા- મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીને ભારતને રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. સૌથી પહેલા ૬ જુલાઈ ૧૯૪૪ના સુભાષચંદ્ર બોઝે સિંગાપુર રેડીઓ સ્ટેસનમાં સંદેશો પ્રસારિત કરતી વખતે ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધિત કર્યાં હતા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા બાદ દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ રેડીઓ પર દેશવાસીઓને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા. ત્યારથી મહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા કહેવામાં આવ્યા છે.
૧૬. ભારતના રાષ્ટ્રીય દિવસ- સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ અને ગણતંત્ર દિવસ
ભારતના રાષ્ટ્રીય દિવસોમાં ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ, ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના ગણતંત્ર દિવસ અને ૨ ઓક્ટોબરના ગાંધી જયંતિ મનાવવામાં આવે છે.
૧૭. ભારતની રાષ્ટ્રીય લિપિ- દેવનાગરી
અનુચ્છેદ ૩૪૩(૧) અનુસાર દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને રાષ્ટ્રીય લિપિ તરીકે અપનાવી છે.
૧૮. ભારતની રાજભાષા- હિન્દી
ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. હિન્દી એક રાજભાષા છે, જેનો ઉપયોગ રાજભાષા તરીકે, રાજકાળ- સરકારી કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતના સંવિધાનમાં અનુચ્છેદ ૩૪૩ મુજબ હિન્દી ભારતની રાજભાષા છે. રાષ્ટ્રભાષા વિશે સંવિધાનમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ ૨૨ ભાષાને અધિકારીક દરજો આપવામાં આવ્યો છે.
૧૯. રાષ્ટ્રીય કેલેન્ડર- શક કેલેન્ડર
રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે શક કેલેન્ડર છે. ૧૯૫૭માં કેલેન્ડર કમિટી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પંચાગની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ ધાર્મિક કેલેન્ડર સિવાય ખગોળીય વસ્તુ રાખવામાં આવી છે.
૨૦. રાષ્ટ્રીય શપથ
તેલુગુમાં પ્યિદીમર્રી વેંકટ સુબ્બારાવે ૧૯૬૨ની સાલમાં શપથ લખ્યા હતા. જેને ૨૬મી જાન્યુઆરી ૧૯૬૫થી બધી સ્કૂલોમાં ગાયન માટે લાગુ કરવામાં આવ્યું હતું.
તો આ હતો ભારતના રાષ્ટ્રીય પ્રતીકનો ઈતિહાસ અને અર્થ.