Saturday, 21 April 2018

RBI એ KYCના નવા નિયમો કર્યાં જાહેર

બેંકોમાં ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આરબીઆઈએ ઓળખકાર્ડ-KYC(Knoy Your Customer) માટે નવા નિયમો જાહેર કર્યાં છે. જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી આ માર્ગદર્શિકાને અનુસરવાની રહેશે.

આરબીઆઈએ શું નિયમો જાહેર કર્યાં?
- આધાર વિના બેંકમાં ખાતુ ખોલવામાં નહિ આવે.
- નવા ગ્રાહકોએ કેવાયસી-ઓળખ તરીકે આધાર નંબર, પાન નંબર અથવા ફોર્મ 60 આપવું પડશે.
- આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે આ માર્ગદર્શિકા તેમના દ્વારા નિયંત્રિત તમામ બૅન્કો અને અન્ય કંપનીઓને લાગુ પડશે.
- આ નિયમો જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયમાં લાગુ થશે નહીં.

Friday, 20 April 2018

ગુજરાલ સિદ્ધાંત શું છે?

ઇંદર કુમાર ગુજરાલ ૨૧ એપ્રિલ, ૧૯૯૭ ભારતના ૧૨માં પ્રધાનમંત્રી બન્યા હતા અને ૧૯ માર્ચ ૧૯૯૮ સુધી આ પદ પર રહ્યા હતા. આ એજ ગુજરાલ હતા કે જયારે વિદેશ મંત્રી રહ્યા ત્યારે ૧૯૯૬માં ભારતને CTBT કરાર પર સહિ કરવા દીધી નહોતી, એના કારણે આજે ભારત પરમાણું શક્તિ સંપન્ન દેશ તરીકે કામિયાબ રહ્યો છે.
એક માન્યતા મુજબ કોઈપણ દેશે આંતરરાષ્ટ્રીય સ્તર પર દબદબો કાયમ કરવો હોય તો તેમને પાડોશી દેશ સાથે સામાન્ય સંબંધ કરવા પડે. તેને વિશ્વાસમાં લઈ સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક સંબંધ મજબૂત કરવા પડે. આ જ રીતનો પ્રયાસ 'જનતા સરકાર'માં વિદેશ મંત્રી રહી ચુકેલા ગુજરાલે કરી હતી, જેને ગુજરાલ સિદ્ધાંત કહેવાય છે.
સિદ્ધાંત મુજબ- ભારત દક્ષિણ એશિયાનો સૌથી મોટો દેશ હોવાની સાથે નાના પાડોશી દેશને એક તરફી સત્તા દઈ તેની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવામાં આવે.  
ગુજરાલ સિદ્ધાંતના મુખ્ય બિન્દુ ક્યાં ક્યાં છે?
૧. પાડોશી દેશ જેમકે માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂતાનની સાથે વિશ્વસનીય સંબંધ બનાવી વિવાદોને વાતચીતથી સમાધાન કરવું પડશે અને તેને કરવામાં આવેલી મદદના બદલામાં તરત જ મદદની અપેક્ષા રાખવી નહિ, તેમજ આર્થિક સંકટમાં મદદ કરવી પડશે.
૨. કોઈપણ દેશે એકબીજાના આંતરિક મામલામાં દખલ કરવી નહિ.
૩. દક્ષિણ એશિયાનો કોઈપણ દેશ તેની જમીનમાં બીજા દેશ વિરુધ દેશવિરોધી ગતિવિધિ નહિ ચલાવે.
૪. સર્વે દક્ષિણ એશિયાઈ દેશો વિવાદોને શાંતિથી પૂર્ણ કરશે.
૫. અખંડિત રહી એક બીજાનું સન્માન કરીશું અને આર્થિક કે શ્રમિક રીતે મદદ કરીશું.
ગુજરાલ સિદ્ધાંત મુજબ ૧૯૯૬ની સાલમાં બાંગ્લાદેશને ગંગાજળનો એક ભાગ દેવો પડ્યો હતો. જો કે આ સિદ્ધાંત કામયાબ નહિ થવાનું કારણ ચીનના ઈશારે નેપાળ, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકા ઝેર ઓકી રહ્યા છે. વિદેશનીતિમાં સાર્કના સભ્યો તરીકે ભારતને વ્યાપાર માટે એકતરફી રિયાસત મળી છે.

Thursday, 19 April 2018

ભારતનું મુસાફરી વિમાન 'સરસ' હવે ઉડવા તૈયાર

ભારતનું સ્વદેશી મુસાફરી વિમાન 'સરસ'એ બેંગ્લોરના એચએએલ નામના હવાઈમથકેથી બીજી સફળ ઉડાન ભરી હતી. મુસાફરીમાં હળવું 'સરસ' વિમાનનું પરીક્ષણ ૨૪મી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. વિમાનની ડીઝાઇન સીએસઆઈઆર-નેશનલ એયરો સ્પેસ લેબોરેટરીઝ(એનએએલ) દ્વારા કરાયું હતું. આ સંસ્થાનો દાવો છે કે ૨૦૧૮ની સાલમાં જૂન અને જુલાઈ સુધીમાં મોડેલ પૂરી રીતે ડીઝાઇન થઈ ઉત્પાદન માટે તૈયારી કરીશું.
સરસ વિમાનની વિશેષતા:
એનએએલ ડીઝાઇનમાં કેટલાક ફેરફાર કરાયા છે, પ્રથમ પીટી ૧ મોડેલમાં સુધારો કરાયો; જેથી બીજા ખંડમાં ઉતાર ચઢાવ માટે સમર્થ રહે.
આધુનિક ઉડાન નિયંત્રણ પ્રણાલી પ્રક્ષેપણ કરાઈ છે.
મુખ્ય ટાયર અને બ્રેકમાં ફેરફાર
૭૧૦૦ કિલોગ્રામ એઉવી વિકસિત સ્ટોલ ચેતવણીની પ્રણાલી મૂકાઈ છે.
આયાત વિમાન કરતા ૨૦ ટકા સસ્તા વિમાન હશે.
આધુનિક સંસ્કરણ બાદ ૧૪ સીટની જગ્યાએ ૧૯ સીટનું વિમાન રહેશે.