ઇંદર કુમાર ગુજરાલ ૨૧ એપ્રિલ, ૧૯૯૭ ભારતના ૧૨માં પ્રધાનમંત્રી બન્યા હતા અને ૧૯ માર્ચ ૧૯૯૮ સુધી આ પદ પર રહ્યા હતા. આ એજ ગુજરાલ હતા કે જયારે વિદેશ મંત્રી રહ્યા ત્યારે ૧૯૯૬માં ભારતને CTBT કરાર પર સહિ કરવા દીધી નહોતી, એના કારણે આજે ભારત પરમાણું શક્તિ સંપન્ન દેશ તરીકે કામિયાબ રહ્યો છે.
એક માન્યતા મુજબ કોઈપણ દેશે આંતરરાષ્ટ્રીય સ્તર પર દબદબો કાયમ કરવો હોય તો તેમને પાડોશી દેશ સાથે સામાન્ય સંબંધ કરવા પડે. તેને વિશ્વાસમાં લઈ સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક સંબંધ મજબૂત કરવા પડે. આ જ રીતનો પ્રયાસ 'જનતા સરકાર'માં વિદેશ મંત્રી રહી ચુકેલા ગુજરાલે કરી હતી, જેને ગુજરાલ સિદ્ધાંત કહેવાય છે.
સિદ્ધાંત મુજબ- ભારત દક્ષિણ એશિયાનો સૌથી મોટો દેશ હોવાની સાથે નાના પાડોશી દેશને એક તરફી સત્તા દઈ તેની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવામાં આવે.
ગુજરાલ સિદ્ધાંતના મુખ્ય બિન્દુ ક્યાં ક્યાં છે?
૧. પાડોશી દેશ જેમકે માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂતાનની સાથે વિશ્વસનીય સંબંધ બનાવી વિવાદોને વાતચીતથી સમાધાન કરવું પડશે અને તેને કરવામાં આવેલી મદદના બદલામાં તરત જ મદદની અપેક્ષા રાખવી નહિ, તેમજ આર્થિક સંકટમાં મદદ કરવી પડશે.
૨. કોઈપણ દેશે એકબીજાના આંતરિક મામલામાં દખલ કરવી નહિ.
૩. દક્ષિણ એશિયાનો કોઈપણ દેશ તેની જમીનમાં બીજા દેશ વિરુધ દેશવિરોધી ગતિવિધિ નહિ ચલાવે.
૪. સર્વે દક્ષિણ એશિયાઈ દેશો વિવાદોને શાંતિથી પૂર્ણ કરશે.
૫. અખંડિત રહી એક બીજાનું સન્માન કરીશું અને આર્થિક કે શ્રમિક રીતે મદદ કરીશું.
ગુજરાલ સિદ્ધાંત મુજબ ૧૯૯૬ની સાલમાં બાંગ્લાદેશને ગંગાજળનો એક ભાગ દેવો પડ્યો હતો. જો કે આ સિદ્ધાંત કામયાબ નહિ થવાનું કારણ ચીનના ઈશારે નેપાળ, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકા ઝેર ઓકી રહ્યા છે. વિદેશનીતિમાં સાર્કના સભ્યો તરીકે ભારતને વ્યાપાર માટે એકતરફી રિયાસત મળી છે.