Monday, 22 January 2018

પ્રધાનમંત્રીના ટેબલ પર પરમાણું બટન ખરેખર છે?

ઉતર કોરિયાના શાસક કિમ જોંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પરમાણું બટન દબાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રીના ટેબલ ઉપર પરમાણું હુમલો કરવાનું બટન છે કે નહી, અથવા પળભરમાં પરમાણું હુમલો કરી શકાય કે નહી? તેને સમજીએ.

પરમાણું મામલામાં વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ટેબલ પર કોઈ પરમાણું બટન હોતું નથી, કે જેને દબાવીને બીજા દેશ પર હુમલો કરી શકાય. પણ પ્રધાનમંત્રી પાસે એક સ્માર્ટ કોડ જરૂર હોય છે. જેના વિના પરમાણું છોડી શકાય નહી.

પરમાણું હુમલાનો આદેશ કોણ આપી શકે?
ભારતમાં પરમાણું હુમલો કરવાનો નિર્ણય પ્રધાનમંત્રી જ લઈ શકે છે. જો કે, પરિસ્થિતિને ધ્યાને લઈ સુરક્ષા બાબતે કેબીનેટ કમિટી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચેરમેન ઓફ ચીફ સ્ટાફ કમિટીની સલાહથી પરમાણું હુમલો કરવાનો નિર્ણય લેવાય છે.

પરમાણું હુમલો કરવાની પ્રક્રિયા શું છે?
·       
પ્રધાનમંત્રીની આગળ ચાલતા ગાર્ડના હાથમાં પરમાણું બ્રિફકેસ જોઈ શકાય છે.
 
પરમાણું બ્રિફકેસ: પ્રધાનમંત્રીની સાથે એક સિક્યુરિટી ગાર્ડ 20 કિલો જેટલા વજનની પરમાણું બ્રિફકેસ લઈ ચાલતા હોય છે. જેમાં કમ્પ્યુટર, રેડિયો ટ્રાન્સમિશન જેવા ઉપકરણનો સમાવેશ થાય છે. આ ઉપકરણો બુલેટપ્રૂફ હોય છે. બ્રિફકેસમાં જ્યાં હુમલો કરવાનો છે એવા ઠેકાણાની જાણકારી હોય છે. અત્યાર સુધીમાં લગભગ 5000 ઠેકાણાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
·         સ્માર્ટ કોડ: પ્રધાનમંત્રી પાસે એક સ્માર્ટ કોડ હોય છે. જે પરમાણું હુમલો કરવાના વેરીફીકેશન કોડના રૂપમાં પરમાણું કમાંડને મોકલવામાં આવે છે. પ્રધાનમંત્રી મનપસંદ કોડ રાખી શકે છે.
·         અન્ય બે સુરક્ષિત કોડ: પ્રધાનમંત્રીના સ્માર્ટ કોડ સિવાય બીજા બે કોડ લોકરમાં બંધ હોય છે. જેના વિશે પરમાણું બેટરી યુનિટ વાયુસેનાના કમાન્ડીંગ ઓફિસર અને અન્ય બે અધિકારી કોડ જાણતા હોય છે, બંને અધિકારી પાસે અલગ અલગ લોકર હોય છે, જેને સુરક્ષિત કોડ કહે છે.
·         પરમાણું હુમલો ક્યારે થાય?: પ્રધાનમંત્રી પાસેથી સ્માર્ટ કોડ મળતા કમાન્ડીગ ઓફિસર બંને અધિકારીને કોડ બતાવે છે, અધિકારી સુરક્ષિત કોડ ખોલે છે, જે મળી જતા પરમાણું હુમલો કરી દેવામાં આવે છે.

હુમલાના આદેશ બાદ કેટલો સમય લાગે છે?

હુમલાના આદેશ બાદ તુરંત જ પરમાણું હુમલો કરવામાં આવતો નથી. નૌસેના દ્વારા મિસાઈલ તાકવામાં 35 મિનીટ જેટલો સમય લાગે છે. પરમાણું હુમલો કર્યાં પછી ત્રણેય સેના કમ્પ્યુટર નેટવર્કથી માહિતી મેળવતા રહે છે અને સુરક્ષા માટે સજ્જ રહે છે.

Sunday, 21 January 2018

પોલીસની વર્દીનો રંગ ખાખી જ કેમ?

જયારે ભારતમાં બ્રિટીશ રાજ હતું, ત્યારે પોલીસને સફેદ રંગની વર્દી પહેરવાનો હુકમ હતો. પરંતુ ડ્યુટી દરમિયાન વર્દી વધારે ગંદી થતી હતી. જેના કારણે પોલીસ કર્મચારીઓ પરેશાન થતા હતા. જેનાથી કંટાળી પોલીસે અલગ અલગ રંગોમાં વર્દીને રંગી હતી. અલગ અલગ રંગવાને કારણે વર્દી અલગ અલગ દેખાતી હતી. પોલીસ ઓફિસરોએ જેના ઉપાય તરીકે ખાખી રંગની ડાઈ તૈયાર કરાવી હતી. ખાખી રંગ પીળો અને ભૂરા રંગનું મિશ્રણ છે. 1847ની સાલમાં સર હેરી લમ્સડેન( sir Harry Lumsden)નામના અધિકારીએ ખાખી રંગને મંજુરી વર્દી માટે અનુમતિ આપી દીધી હતી. ત્યારથી ખાખી વર્દી પોલીસ પહેરે છે.
ખાખી વર્દીનો સંક્ષિપ્તમાં ઈતિહાસ
·         સર હેરી લમ્સડેન( sir Harry Lumsden) નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર સેનાના ગવર્નર એજન્ટ હતા અને લાહોરના રહેવાસી હતા. જેમણે ત્યાં “Corps of Guides” નામની સેના 1846ની સાલમાં તૈયાર કરી હતી. ત્યારે કોઈ ડ્રેસકોડ ન હતો, પરંતુ 1847ની સાલમાં સેનાની ભરતી સમયે પોલીસે ખાખી વર્દીને અપનાવી લીધી હતી.
પહેલી આધુનિક પોલીસ વિશે શું મત છે?
·      ·   BPRD(Bureau of Police Research and Development) સંસ્થા મુજબ પહેલી આધુનિક પોલીસ લંડનની મેટ્રોપોલિટન પોલીસ હતી. તેમણે 1829ની સાલમાં ડાર્ક બ્લ્યુ રંગનો યુનિફોર્મ બનાવ્યો હતો. જે પેરામીલીટરી સ્ટાઈલનો યુનિફોર્મ હતો. તેમણે બ્લ્યુ રંગ એટલે પસંદ કર્યો હતો કે બ્રિટીશની આર્મી લાલ અને સફેદ રંગનો યુનિફોર્મ પહેરતી હતી.