ઉતર કોરિયાના શાસક કિમ જોંગ અને અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પરમાણું બટન દબાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ત્યારે
ભારતના પ્રધાનમંત્રીના ટેબલ ઉપર પરમાણું હુમલો કરવાનું બટન છે કે નહી, અથવા
પળભરમાં પરમાણું હુમલો કરી શકાય કે નહી? તેને સમજીએ.
પરમાણું મામલામાં વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે,
પ્રધાનમંત્રીના ટેબલ પર કોઈ પરમાણું બટન હોતું નથી, કે જેને દબાવીને બીજા દેશ પર
હુમલો કરી શકાય. પણ પ્રધાનમંત્રી પાસે એક સ્માર્ટ કોડ જરૂર હોય છે. જેના વિના પરમાણું
છોડી શકાય નહી.
પરમાણું હુમલાનો આદેશ કોણ આપી શકે?
ભારતમાં પરમાણું હુમલો કરવાનો નિર્ણય
પ્રધાનમંત્રી જ લઈ શકે છે. જો કે, પરિસ્થિતિને ધ્યાને લઈ
સુરક્ષા બાબતે કેબીનેટ કમિટી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચેરમેન ઓફ ચીફ સ્ટાફ
કમિટીની સલાહથી પરમાણું હુમલો કરવાનો નિર્ણય લેવાય છે.
પરમાણું હુમલો કરવાની પ્રક્રિયા શું છે?
·
પરમાણું બ્રિફકેસ: પ્રધાનમંત્રીની સાથે એક
સિક્યુરિટી ગાર્ડ 20 કિલો જેટલા વજનની પરમાણું બ્રિફકેસ લઈ ચાલતા હોય છે. જેમાં
કમ્પ્યુટર, રેડિયો ટ્રાન્સમિશન જેવા ઉપકરણનો સમાવેશ થાય છે. આ ઉપકરણો બુલેટપ્રૂફ
હોય છે. બ્રિફકેસમાં જ્યાં હુમલો કરવાનો છે એવા ઠેકાણાની જાણકારી હોય છે. અત્યાર
સુધીમાં લગભગ 5000 ઠેકાણાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![]() |
પ્રધાનમંત્રીની આગળ ચાલતા ગાર્ડના હાથમાં પરમાણું બ્રિફકેસ જોઈ શકાય છે. |
·
સ્માર્ટ કોડ: પ્રધાનમંત્રી પાસે એક સ્માર્ટ કોડ હોય
છે. જે પરમાણું હુમલો કરવાના વેરીફીકેશન કોડના રૂપમાં પરમાણું કમાંડને મોકલવામાં
આવે છે. પ્રધાનમંત્રી મનપસંદ કોડ રાખી શકે છે.
·
અન્ય બે સુરક્ષિત કોડ: પ્રધાનમંત્રીના સ્માર્ટ કોડ
સિવાય બીજા બે કોડ લોકરમાં બંધ હોય છે. જેના વિશે પરમાણું બેટરી યુનિટ વાયુસેનાના
કમાન્ડીંગ ઓફિસર અને અન્ય બે અધિકારી કોડ જાણતા હોય છે, બંને અધિકારી પાસે અલગ અલગ
લોકર હોય છે, જેને સુરક્ષિત કોડ કહે છે.
·
પરમાણું હુમલો ક્યારે થાય?: પ્રધાનમંત્રી પાસેથી
સ્માર્ટ કોડ મળતા કમાન્ડીગ ઓફિસર બંને અધિકારીને કોડ બતાવે છે, અધિકારી સુરક્ષિત
કોડ ખોલે છે, જે મળી જતા પરમાણું હુમલો કરી દેવામાં આવે છે.
હુમલાના આદેશ બાદ કેટલો સમય લાગે છે?
હુમલાના આદેશ બાદ તુરંત જ પરમાણું હુમલો કરવામાં
આવતો નથી. નૌસેના દ્વારા મિસાઈલ તાકવામાં 35 મિનીટ જેટલો સમય લાગે છે. પરમાણું
હુમલો કર્યાં પછી ત્રણેય સેના કમ્પ્યુટર નેટવર્કથી માહિતી મેળવતા રહે છે અને
સુરક્ષા માટે સજ્જ રહે છે.