![]() |
નાલંદા વિશ્વવિદ્યાલયની તસ્વીર |
વિશ્વની સૌથી જૂની વિશ્વવિદ્યાલયમાં
નાલંદા વિશ્વવિદ્યાલયનું એક સમયે નામ હતું. જેની સ્થાપના ૫મી સદીમાં ગુપ્ત વંશના શાસક
સમ્રાટ કુમારગુપ્તએ કરી હતી, તેમને મહેન્દ્રાદિત્યનું સન્માન મળ્યું હતું. આ વિશ્વવિદ્યાલય
વર્તમાન બિહાર રાજ્યના પટના જિલ્લામાં ૮૮.૫ કિલોમીટર અને રાજગીરથી ૧૧.૫ કિલોમીટર
ક્ષેત્રમાં ફેલાયેલી છે. નાલંદા વિશ્વવિદ્યાલયમાં બૌધ ધર્મની સાથે અન્ય ધર્મોની પણ
શિક્ષા મળતી હતી. પરંતુ આક્રમણકારીઓની ૮ સદીમાં ત્રીજીવાર નજર લાગતા છેવટે ખંડિત થઈ
હતી.
નાલંદા વિશ્વવિદ્યાલયનો કોણે કોણે
વિનાશ કર્યો?
![]() |
નાલંદાની બેઠક વ્યવસ્થા |
પહેલો વિનાશ સ્કંદગુપ્તના(૪૫૫-૪૬૭)
શાસનકાળ દરમિયાન મિહિરકુલ અને હ્યુનના કારણે થયો હતો. જો કે શાસકોએ સુધારા સાથે
ફરી માળખું ઉભું કરી લીધું હતું.
બીજો વિનાશ સાતમી સદીની શરૂઆતમાં
ગૌદાસે કર્યો હતો, બૌધ રાજા હર્ષવર્ધને(૬૦૬-૬૪૮) મરમ્મત કરાવી હતી.
ત્રીજો વિનાશ ૧૧૯૩માં તુર્ક સેનાપતિ
ઈખ્તિયારૂદ્દીન મુહમ્મદ બિન બખ્તિયાર ખીલજી અને એની સેનાએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયને
નાશ કરી હતી.
બખ્તિયાર ખીલજીએ વિશ્વવિદ્યાલયનો
કેમ નાશ કર્યો?
બખ્તિયાર ખીલજી જે તે સમયે બીમાર
પડ્યો ત્યારે હકીમો દ્વારા ઈલાજ નહિ બરાબર થતા સલાહકારોએ નાલંદા વિશ્વવિદ્યાલયના
આયુર્વેદ વિભાગના પ્રમુખ આચાર્ય રાહુલ શ્રીમદ પાસે ઈલાજ કરાવવાની સલાહ આપી હતી. સલાહકારોનું
માન રાખવા વૈધને મળ્યા. ખીલજીએ વૈધ સામે દવા વિના સાજા કરવાની શરત રાખી હતી, જે ને
વૈધરાજે માની લીધી અને કુરાન વાચવાની સલાહ આપી હતી. વૈધ રોજ કુરાનના એટલા પાના વાચવાની
સલાહ આપતા. વૈધ દરેક પાનામાં દવાનો લેપ લગાડતા અને ખીલજી થૂકથી પાના ફેરવતા સાજો
થઈ ગયો. તેમને ભારતીય વિદ્વાનોની વિદ્વતાને નાશ કરવાનો નિર્ણય લીધો અને નાલંદાની
મહાન પુસ્તકાલયમાં આગ લગાડી દીધી અને ૯૦ લાખ પાંડુલિપિને બાળી નાખી.
નાલંદા વિશ્વવિદ્યાલયની વધુ વાતો:
-
ભારત ભ્રમણ માટે આવેલા ચીની યાત્રી હુએનસાંગ અને ઇત્સિંગે વિસ્તૃત
જાણકારી મેળવી યાત્રાપોથીમાં ઉલ્લેખ કર્યો હતો.
-
૧૧મી સદીમાં લગભગ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૨,૦૦૦ અધ્યાપક હતા.
વિશ્વવિદ્યાલયમાં ભારતના જ નહીં પણ કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, ફારસ
અને તુર્કીથી વિદ્યાર્થીઓ આવતા હતા.
-
એવું કહેવાય છે કે વિશ્વવિદ્યાલયમાં ત્રણ મહિના સુધી પુસ્તકો
સળગતા રહ્યા હતા.
-
આક્રમણકારીઓએ હજારો ધાર્મિક વિદ્વાનો સાથે ભિક્ષુઓની પણ હત્યા
કરી હતી.
-
વિશ્વવિદ્યાલયમાં મેરીટના આધારે નિશુલ્ક શિક્ષણ આપવામાં આવતું
હતું.
-
૯ માળની લાઈબ્રેરી ‘રત્નરંજક’, ‘રત્નોબ્ધી’ અને ‘રત્નસાગર’ નામના
ત્રણ ભાગમાં ફેલાયેલી હતી.
- લોકતંત્ર મુજબ દરેક નિર્ણય લેવાતા
હતા અને હાલમાં અભ્યાસમાં આવતા ૧૯ જેટલા વિષયોનો અભ્યાસ થતો હતો.