ભારતના પ્રથમ મહિલા ડોક્ટર કોણ હતા, જાણો છો આપ?
 |
First Lady Doctor in India |
૩૧ માર્ચના દિવસે ગુગલબાબા હોમપેજમાં પ્રથમ મહિલા ડોક્ટર વિશે જણાવે છે. જેનું નામ આનંદીબાઈ(મરાઠી નામ) જોશી છે. ૧૮૬૫ની સાલમાં કલ્યાણ ગામે જન્મેલા આનંદીબાઈના લગ્ન ૯ વર્ષની ઉમરે ૨૫ વર્ષના ગોપાલરાવ જોશી સાથે થયા હતા.
લગ્ન બાદ પતિના આગ્રહને કારણે તેણીને ભણવામાં રસ જાગ્યો.
૧૮૮૬ની સાલમાં ૧૯ વર્ષની ઉંમરે મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણ મેળવવા અમેરિકા ગયા, તેમણે એમ.ડી.ની ડિગ્રી મેળવી. તે એમડી અને પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર બન્યા.
ડિગ્રી લીધા બાદ, આનંદીબાઈ દેશ પરત ફર્યા. પરંતુ તે સમય દરમિયાન તેઓ ટીબીના ભોગ બન્યા હતા. દિવસેને દિવસે તબિયત બગડતા ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૭ના રોજ ૨૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા.
- 'આનંદી ગોપાલ'નામની મરાઠી કૃતિ સાહિત્યમાં 'ક્લાસિક' ગણવામાં આવે છે અને તેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.
- કેરોલીન વેલેસએ ૧૮૮૮માં આનંદીબાઈના જીવન પર જીવનચરિત્ર પણ લખ્યું હતું. જેના પર 'આનંદી ગોપાલ' નામની શ્રેણીબદ્ધ સીરીયલ બનાવાઈ અને દુરદર્શન પર પ્રસારિત થઈ હતી.
- પત્ની ભણે તો પતિ મૃત્યુ પામે તેવી માન્યતા સમયે પતિ ગોપાલ જોશીએ ખ્રિસ્તી ધર્મ ધારણ કરવાનું કહેતા આનંદીબાઈ જોશી સાત સમન્દર પાર કરી ભણ્યા હતા.
No comments:
Post a Comment