Wednesday, 25 April 2018

અંગ્રેજોનો મીઠાવેરો આજે પણ લાગે છે

ગાંધીજીએ દાંડીકુચ કરી મીઠાવેરો બંધ કરાવ્યો હતો, પણ ભારતની આઝાદી બાદ ૧૯૫૩ની સાલમાં સોલ્ટ સેસ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. મીઠાવેરાને વિશેષ ખાતાકીય ખર્ચ માટે લાગુ કરવામાં આવ્યો છે. ૪૦ કિલોએ ૧૪ પૈસાની ગણતરીએ કર લાગુ કરાય છે. મુખ્ય કારખાના અને કંપનીઓએ નિયમિત કર ભરવાનો રહે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં સરકારને $૫૩૮,૦૦૦ની આવક થઈ હતી. ૧૯૭૮ની સાલમાં મીઠા સંશોધન સમિતિએ આ વેરાને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. દેશમાં ૯૨ ટકા મીઠાનું ઉત્પાદન નામી કંપનીઓ કરે છે, જેનાથી ૮૦૦ અધિકારીને રોજગાર મળે છે.

No comments:

Post a Comment