Sunday, 19 August 2018

આપણા રાષ્ટ્રીય પ્રતીકો જાણો...

રાષ્ટ્રીય પ્રતીકોથી આપનો ઈતિહાસ, વ્યક્તિત્વ અને વિશિષ્ટતા જાણવા મળે છે. પ્રતીકોથી દુનિયા સામે એક આગવી ઓળખ ઉભી થતી હોય છે. આવા પ્રતીકો વિશે આપણે જાણીએ.
ભારતના રાષ્ટ્રીય પ્રતીકો:
૧. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ- તિરંગો
૨૨ જુલાઈ ૧૯૪૭ની સાલમાં ભારતીય સંવિધાને તિરંગાને અપનાવ્યો હતો. તિરંગામાં કેસરી, સફેદ અને લીલા રંગને સ્થાન અપાયું છે. જેની પહોળાઈ અને લંબાઈ ૨:૩ ફૂટની છે, સાથે સાથે વચ્ચે નેવી બ્લ્યુ કલરનું રાખવામાં આવ્યું છે, જેમાં ૨૪ ખંભા બતાવવામાં આવ્યા છે. આ ચક્ર સારનાથમાં સ્થિત અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
૨. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન- અશોક સ્તંભ
મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા સારનાથમાં બનાવાયેલા સ્તંભમાંથી અશોક સ્તંભનું ચિહ્ન લેવામાં આવ્યું છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ની સાલમાં દેશના ચિહ્ન તરીકે સ્વીકૃત કરવામાં આવ્યું હતું. અશોક સ્તંભના શિખર પર દેવનાગરી લીપીમાં 'સત્યમેવ જયતે'(સત્યની જ જીત થાય) લખાણ છે, જે મુન્દ્કોપ ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે.
સ્તંભની શિખરમાં ચાર સિંહોની પ્રતિકૃતિ છે, જેમાં પાછળનો ભાગ થાંભલા સાથે જોડાયેલો છે. સંરચનાની સામે અહી ધર્મ ચક્ર(કાયદાનું ચક્ર) પણ છે. આ પ્રતીક શક્તિ, હિમ્મત, ગર્વ અને વિશ્વાસને પ્રદર્શિત કરે છે. પૈડાની એકબાજુ અશ્વ અને ખુંટની પ્રતિકૃતિ છે. જેના ઉપયોગ અને નિયંત્રણ પર પ્રતિબંધ કારનું કાર્ય રાજ્ય પ્રતીક ધારા, ૨૦૦૫ મુજબ કરવામાં આવ્યું છે.
૩. ભારતનું રાષ્ટ્રીય ગાન- જન ગણ મન
૨૪ જાન્યુઆરી ૧૯૫૦ની સાલમાં સંવૈધાનિક સભા દ્વારા ભારતના રાષ્ટ્રગાન તરીકે 'જન ગણ મન'ને અંગીકૃત કરાયું હતું. રવીન્દ્રનાથ ટાગોરે આ ગાન લખ્યું હતું. જેને પહેલીવાર ૨૭ ડીસેમ્બર ૧૯૧૧ની સાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા સત્રમાં ગાન થયું હતું. સંપૂર્ણ ગાનમાં લગભગ 52 સેકન્ડનો સમય લાગ્યો હતો, પરંતુ એનું લઘુ સંસ્કરણ(પહેલી અને અંતિમ પંક્તિ)ને પૂર્ણ કરવામાં ૨૦ સેકન્ડનો સમય લાગે છે.
૪. ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર- ભારત રત્ન
ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન અવોર્ડ છે. આ સન્માન અસાધારણ કાર્ય કરનાર વ્યક્તિને આપવામાં આવે છે. જેમાં વિજ્ઞાન, કળા, સાહિત્ય, રમત, અને સાર્વજનિક સેવાના ક્ષેત્રોમાં મળે છે. આ પુરસ્કારની શરૂઆત ૨ જાન્યુઆરી ૧૯૫૪માં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. જેને પુરસ્કાર મળે તેને મેડલ આપવામાં આવે છે.
૫. ભારતનું રાષ્ટ્રગીત- વંદે માતરમ
૧૯૫૦માં વાસ્તવિક વંદે માતરમની શરુઆતના બે છંદને આધિકારિક સ્વરૂપે ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું હતું. વાસ્તવિક વંદે માતરમ છ: છંદમાં છે. બંકિમચંદ્ર ચેટરજી દ્વારા બંગાલી અને સંસ્કૃતમાં ૧૮૮૨ની સાલમાં 'આનંદમઠ' નામના ઉપન્યાસમાં લખ્યું હતું. રાષ્ટ્રીય ગીતને પહેલીવાર 1896ની સાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજનૈતિક સંદર્ભે રવીન્દ્રનાથ ટાગોરે ગાન કર્યુ હતું.
૬. ભારતનું રાષ્ટ્રીય પશુ- વાઘ
ભારતના રાષ્ટ્રીય પશુ તરીકે વાઘ- રોયલ બંગાલ ટાઈગરને એપ્રિલ ૧૯૭૩ની સાલમાં ઘોષિત કરાયા હતા. જેના શરીર પર ચમકદાર પીળી પટ્ટી હોય છે. શક્તિશાળી અને મજબુતીના કારણે ભારતના ગર્વનું પ્રતીક છે. વાઘ ૨૦ વર્ષ જેટલું સરેરાશ આયુ ભોગવે છે. જેનું વૈજ્ઞાનિક નામ 'પેન્થરા ટાઈગ્રિસ' છે.
૭. ભારતનું રાષ્ટ્રીય ફૂલ- કમળ
કમળનું વૈજ્ઞાનિક નામ 'નીમ્યૂમ્બો ન્યૂસીફેરા' છે. જેને ભારતના રાષ્ટ્રીય ફૂલ તરીકે અંગીકૃત કરાયું છે. આ ફૂલ ભારતના પારંપરિક મુલ્યો અને સાંસ્કૃતિક ગર્વને પ્રદર્શિત કરે છે. જે ઉદારતા, જ્ઞાન, સમૃદ્ધિ, સન્માન, લાંબુ આયુષ્ય, નસીબ, દિલ અને માનસિક સુંદરતાનો દેખાવ કરે છે. જેનો પ્રયોગ દેશભરમાં ધાર્મિક અનુષ્ઠાનો વગેરે માટે કરવામાં આવે છે.
૮. ભારતનું રાષ્ટ્રીય ફળ- કેરી
કેરીનું વૈજ્ઞાનિક નામ 'મૈનજીફેરા ઈન્ડીકા' છે. જેને સર્વ ફળોના રાજાનો દરજો અપાયો છે.
૯. ભારતનું રાષ્ટ્રીય પક્ષી- મોર
ભારતીય મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે સ્વીકાર્યું છે. આ પક્ષી એકતાના સજીવ રંગો અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. જે સુંદરતા, ગર્વ અને પવિત્રતા દેખાય છે. ભારતીય વન્યજીવ(સુરક્ષા)ની ધારા ૧૯૭૨ મુજબ સંસદીય આદેશ પર સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન મુરુગાના વાહન તરીકે અને ઈસાઈઓમાં પુન:જાગરણનું પ્રતીક માનવામાં આવે છે.
૧૦. ભારતની રાષ્ટ્રીય રમત- હોકી
હોકીને ભારતની રાષ્ટ્રીય રમત તરીકે ત્યારથી મનાય છે, જ્યારથી ઓલિમ્પિકમાં હોકીએ ૬ ગોલ્ડમેડલ જીત્યા હતા.
૧૧. ભારતનું રાષ્ટ્રીય જળચર- ડોલ્ફિન
ગંગા નદીની ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પશુ તરીકે સ્વીકારવામાં આવી છે. જે પવિત્ર ગંગાની શુદ્ધતાને પ્રદર્શિત કરે છે. કેમકે ડોલ્ફિન સાફ અને સુદ્ધ પાણીમાં જ જીવતી રહી શકે છે. 
૧૨. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ- વડ 
ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે વડને માનવામાં આવ્યું છે. જે એકતા અને દ્રઢતાનું પ્રતીક છે. જે પ્રકારે ભારતના વિભિન્ન ધર્મ અને જાતિના લોકો એક સાથે રહે છે, તેવી રીતે વડલા માથે પણ નાના-મોટા જીવજંતુ નિવાસ કરે છે. વડલાનું ધાર્મિક મહત્વ છે અને ઔષધીય ગુણથી ભરપુર છે.
૧૩. ભારતની રાષ્ટ્રીય મુદ્રા- રુપયા
ભારત ગણરાજ્યની કરન્સી ભારતીય રુપયા (ISO Code: INR) છે. જેને સંબંધિત મુદ્દાને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયંત્રિત કરે છે. ભારતીય રૂપયાને "ર" દેવનાગરી વ્યંજન અને લેટીન અક્ષર "R" દ્વારા ચિન્હિત કરાયું છે. ૧૫ જુલાઈ ૨૦૧૦માં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેની સાથે સિક્કામાં પણ શરૂઆત કરવામાં આવી છે.
૧૪. ભારતની રાષ્ટ્રીય નદી- ગંગા
ગંગા નદી ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી છે, જે ૨૫૧૦ કિમીના પહાડી, ડુંગરાળ અને મૈદાની વિસ્તાર સુધી ફેલાયેલી છે. નદીના પવિત્ર જળને સારા-માઠા પ્રસંગોએ વાપરવામાં આવે છે. ગંગાની ઉત્પતિ, હિમાલયમાં ગંગોત્રી ગ્લેસીઆર્સના હિમક્ષેત્રમાં ભાગીરથી નદીના સ્વરૂપે થઈ છે.
૧૫. ભારતના રાષ્ટ્રીયપિતા- મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીને ભારતને રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. સૌથી પહેલા ૬ જુલાઈ ૧૯૪૪ના સુભાષચંદ્ર બોઝે સિંગાપુર રેડીઓ સ્ટેસનમાં સંદેશો પ્રસારિત કરતી વખતે ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધિત કર્યાં હતા. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા બાદ દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ રેડીઓ પર દેશવાસીઓને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા. ત્યારથી મહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા કહેવામાં આવ્યા છે.
૧૬. ભારતના રાષ્ટ્રીય દિવસ- સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ અને ગણતંત્ર દિવસ
ભારતના રાષ્ટ્રીય દિવસોમાં ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ, ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના ગણતંત્ર દિવસ અને ૨ ઓક્ટોબરના ગાંધી જયંતિ મનાવવામાં આવે છે.
૧૭. ભારતની રાષ્ટ્રીય લિપિ- દેવનાગરી
અનુચ્છેદ ૩૪૩(૧) અનુસાર દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને રાષ્ટ્રીય લિપિ તરીકે અપનાવી છે.
૧૮. ભારતની રાજભાષા- હિન્દી
ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. હિન્દી એક રાજભાષા છે, જેનો ઉપયોગ રાજભાષા તરીકે, રાજકાળ- સરકારી કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતના સંવિધાનમાં અનુચ્છેદ ૩૪૩ મુજબ હિન્દી ભારતની રાજભાષા છે. રાષ્ટ્રભાષા વિશે સંવિધાનમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ ૨૨ ભાષાને અધિકારીક દરજો આપવામાં આવ્યો છે.
૧૯. રાષ્ટ્રીય કેલેન્ડર- શક કેલેન્ડર
રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે શક કેલેન્ડર છે. ૧૯૫૭માં કેલેન્ડર કમિટી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પંચાગની મદદથી તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ ધાર્મિક કેલેન્ડર સિવાય ખગોળીય વસ્તુ રાખવામાં આવી છે.
૨૦. રાષ્ટ્રીય શપથ
તેલુગુમાં પ્યિદીમર્રી વેંકટ સુબ્બારાવે ૧૯૬૨ની સાલમાં શપથ લખ્યા હતા. જેને ૨૬મી જાન્યુઆરી ૧૯૬૫થી બધી સ્કૂલોમાં ગાયન માટે લાગુ કરવામાં આવ્યું હતું.
તો આ હતો ભારતના રાષ્ટ્રીય પ્રતીકનો ઈતિહાસ અને અર્થ.

Thursday, 26 July 2018

ડોક્ટર સફેદ જ કોટ કેમ પહેરે?

આધુનિક સફેદ રંગનો કોટ
મનુષ્યને જન્મતાની સાથે અને મૃત્યુ સુધી ક્યાંકને ક્યાંક હોસ્પિટલ-દવાખાનાનો સહારો લેવો પડે છે. દવાખાનામાં ડોક્ટર અને નર્સ સહિતના સ્ટાફના પહેરવેશમાં સફેદ રંગ દેખાય છે. ડોક્ટરોએ સફેદ કોટ પહેરવાનું કારણ એ નથી કે મરીઝ હવે 'રામ નામ સત્ય' થઈ થાશે, પણ સફેદ રંગના ઘણાં ફાયદા હોવાથી આ રંગના વસ્ત્રો પહેરે છે.

સૌ પ્રથમ ડોક્ટરોએ લેબોરેટરીમાં સફેદ કોટને ધારણ કર્યો હતો
૧૯મી સદીમાં વૈજ્ઞાનિકો પ્રયોગશાળા કે લેબોરેટરીમાં કામ કરતા હતા, તેઓ ત્યારે ગુલાબી અને પીળા રંગનો કોટ પહેરતા હતા. આ સમયગાળામાં પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોએ ડોક્ટરો પર આંગળી ઉઠાવી અને તેના ઈલાજને બેકાર જણાવી, પ્રતિષ્ઠાને હાની પહોચાડી હતી. આવા સમયે વૈજ્ઞાનિકોને લોકોનું અને શાસકોનું સમર્થન મળતું હતું. આવા સમયે ડોકટરોએ વૈજ્ઞાનિક બનવાનો નિર્ણય લીધો હતો. ૧૮૮૯ની સાલ આજુબાજુ લેબોરેટરીમાં ડોકટરો આવ્યા ત્યારે તેમને સફેદ રંગને પસંદ કર્યો. હાલમાં ગોઠણ સુધી દેખાતા સફેદ કોટની ડીઝાઇન કેનાડાના સર્જન ડૉ. જોર્જ આર્મસ્ટ્રોંગ(૧૮૫૫-૧૯૩૩)એ રજુ કર્યો હતો.

સફેદ રંગ પસંદ કરવાનું કારણ શું?
સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક  હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે. આ રંગમાં ભલાઈ કરવાની ભાવના હોય છે, જેમાં મૂસા, જીસસ જેવા સંતોએ પહેરવેશને અપનાવ્યો હતો.

સફેદ કોટનો સર્વે શું બતાવે છે?
વીસમી સદીમાં સફેદ કોટ ધારણ કર્યાં બાદ ડોક્ટર અને મરીઝના વિચારોનો એક સર્વે બહાર પડ્યો હતો. જેમાં નર્સ અને ડોકટરોને સરળતાથી ઓળખી શકાય છે. મરીઝ સફેદ રંગ જોઇ માનસિક શાંતિ અનુભવે છે અને હકારાત્મક વિચારે છે. સ્વચ્છતાની ઓળખ ઉભી કરે અને પોતાના પર માનસિક દબાવ ઉભો થવા દેતા નથી.

શરીરનું તાપમાન જળવાઈ રહે અને દર્દીને રાહત થતી હોવાથી ડોકટરો સફેદ રંગ પહેરે છે.

Friday, 15 June 2018

આઠ સદીથી ચાલતી નાલંદા વિશ્વવિદ્યાલયને ત્રીજી વાર કોની કાળી નજર લાગી?

નાલંદા વિશ્વવિદ્યાલયની તસ્વીર 

વિશ્વની સૌથી જૂની વિશ્વવિદ્યાલયમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું એક સમયે નામ હતું. જેની સ્થાપના ૫મી સદીમાં ગુપ્ત વંશના શાસક સમ્રાટ કુમારગુપ્તએ કરી હતી, તેમને મહેન્દ્રાદિત્યનું સન્માન મળ્યું હતું. આ વિશ્વવિદ્યાલય વર્તમાન બિહાર રાજ્યના પટના જિલ્લામાં ૮૮.૫ કિલોમીટર અને રાજગીરથી ૧૧.૫ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલી છે. નાલંદા વિશ્વવિદ્યાલયમાં બૌધ ધર્મની સાથે અન્ય ધર્મોની પણ શિક્ષા મળતી હતી. પરંતુ આક્રમણકારીઓની ૮ સદીમાં ત્રીજીવાર નજર લાગતા છેવટે ખંડિત થઈ હતી.
નાલંદા વિશ્વવિદ્યાલયનો કોણે કોણે વિનાશ કર્યો?
નાલંદાની બેઠક વ્યવસ્થા
પહેલો વિનાશ સ્કંદગુપ્તના(૪૫૫-૪૬૭) શાસનકાળ દરમિયાન મિહિરકુલ અને હ્યુનના કારણે થયો હતો. જો કે શાસકોએ સુધારા સાથે ફરી માળખું ઉભું કરી લીધું હતું.
બીજો વિનાશ સાતમી સદીની શરૂઆતમાં ગૌદાસે કર્યો હતો, બૌધ રાજા હર્ષવર્ધને(૬૦૬-૬૪૮) મરમ્મત કરાવી હતી.
ત્રીજો વિનાશ ૧૧૯૩માં તુર્ક સેનાપતિ ઈખ્તિયારૂદ્દીન મુહમ્મદ બિન બખ્તિયાર ખીલજી અને એની સેનાએ પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયને નાશ કરી હતી.
બખ્તિયાર ખીલજીએ વિશ્વવિદ્યાલયનો કેમ નાશ કર્યો?
બખ્તિયાર ખીલજી જે તે સમયે બીમાર પડ્યો ત્યારે હકીમો દ્વારા ઈલાજ નહિ બરાબર થતા સલાહકારોએ નાલંદા વિશ્વવિદ્યાલયના આયુર્વેદ વિભાગના પ્રમુખ આચાર્ય રાહુલ શ્રીમદ પાસે ઈલાજ કરાવવાની સલાહ આપી હતી. સલાહકારોનું માન રાખવા વૈધને મળ્યા. ખીલજીએ વૈધ સામે દવા વિના સાજા કરવાની શરત રાખી હતી, જે ને વૈધરાજે માની લીધી અને કુરાન વાચવાની સલાહ આપી હતી. વૈધ રોજ કુરાનના એટલા પાના વાચવાની સલાહ આપતા. વૈધ દરેક પાનામાં દવાનો લેપ લગાડતા અને ખીલજી થૂકથી પાના ફેરવતા સાજો થઈ ગયો. તેમને ભારતીય વિદ્વાનોની વિદ્વતાને નાશ કરવાનો નિર્ણય લીધો અને નાલંદાની મહાન પુસ્તકાલયમાં આગ લગાડી દીધી અને ૯૦ લાખ પાંડુલિપિને બાળી નાખી.
નાલંદા વિશ્વવિદ્યાલયની વધુ વાતો:
-     ભારત ભ્રમણ માટે આવેલા ચીની યાત્રી હુએનસાંગ અને ઇત્સિંગે વિસ્તૃત જાણકારી મેળવી યાત્રાપોથીમાં ઉલ્લેખ કર્યો હતો.
-     ૧૧મી સદીમાં લગભગ ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૨,૦૦૦ અધ્યાપક હતા. વિશ્વવિદ્યાલયમાં ભારતના જ નહીં પણ કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, ફારસ અને તુર્કીથી વિદ્યાર્થીઓ આવતા હતા.
-     એવું કહેવાય છે કે વિશ્વવિદ્યાલયમાં ત્રણ મહિના સુધી પુસ્તકો સળગતા રહ્યા હતા.
-     આક્રમણકારીઓએ હજારો ધાર્મિક વિદ્વાનો સાથે ભિક્ષુઓની પણ હત્યા કરી હતી.
-     વિશ્વવિદ્યાલયમાં મેરીટના આધારે નિશુલ્ક શિક્ષણ આપવામાં આવતું હતું.
-     ૯ માળની લાઈબ્રેરી ‘રત્નરંજક’, ‘રત્નોબ્ધી’ અને ‘રત્નસાગર’ નામના ત્રણ ભાગમાં ફેલાયેલી હતી.
-     લોકતંત્ર મુજબ દરેક નિર્ણય લેવાતા હતા અને હાલમાં અભ્યાસમાં આવતા ૧૯ જેટલા વિષયોનો અભ્યાસ થતો હતો.

Wednesday, 25 April 2018

અંગ્રેજોનો મીઠાવેરો આજે પણ લાગે છે

ગાંધીજીએ દાંડીકુચ કરી મીઠાવેરો બંધ કરાવ્યો હતો, પણ ભારતની આઝાદી બાદ ૧૯૫૩ની સાલમાં સોલ્ટ સેસ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. મીઠાવેરાને વિશેષ ખાતાકીય ખર્ચ માટે લાગુ કરવામાં આવ્યો છે. ૪૦ કિલોએ ૧૪ પૈસાની ગણતરીએ કર લાગુ કરાય છે. મુખ્ય કારખાના અને કંપનીઓએ નિયમિત કર ભરવાનો રહે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં સરકારને $૫૩૮,૦૦૦ની આવક થઈ હતી. ૧૯૭૮ની સાલમાં મીઠા સંશોધન સમિતિએ આ વેરાને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. દેશમાં ૯૨ ટકા મીઠાનું ઉત્પાદન નામી કંપનીઓ કરે છે, જેનાથી ૮૦૦ અધિકારીને રોજગાર મળે છે.

Saturday, 21 April 2018

RBI એ KYCના નવા નિયમો કર્યાં જાહેર

બેંકોમાં ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આરબીઆઈએ ઓળખકાર્ડ-KYC(Knoy Your Customer) માટે નવા નિયમો જાહેર કર્યાં છે. જોકે સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી આ માર્ગદર્શિકાને અનુસરવાની રહેશે.

આરબીઆઈએ શું નિયમો જાહેર કર્યાં?
- આધાર વિના બેંકમાં ખાતુ ખોલવામાં નહિ આવે.
- નવા ગ્રાહકોએ કેવાયસી-ઓળખ તરીકે આધાર નંબર, પાન નંબર અથવા ફોર્મ 60 આપવું પડશે.
- આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે આ માર્ગદર્શિકા તેમના દ્વારા નિયંત્રિત તમામ બૅન્કો અને અન્ય કંપનીઓને લાગુ પડશે.
- આ નિયમો જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલયમાં લાગુ થશે નહીં.

Friday, 20 April 2018

ગુજરાલ સિદ્ધાંત શું છે?

ઇંદર કુમાર ગુજરાલ ૨૧ એપ્રિલ, ૧૯૯૭ ભારતના ૧૨માં પ્રધાનમંત્રી બન્યા હતા અને ૧૯ માર્ચ ૧૯૯૮ સુધી આ પદ પર રહ્યા હતા. આ એજ ગુજરાલ હતા કે જયારે વિદેશ મંત્રી રહ્યા ત્યારે ૧૯૯૬માં ભારતને CTBT કરાર પર સહિ કરવા દીધી નહોતી, એના કારણે આજે ભારત પરમાણું શક્તિ સંપન્ન દેશ તરીકે કામિયાબ રહ્યો છે.
એક માન્યતા મુજબ કોઈપણ દેશે આંતરરાષ્ટ્રીય સ્તર પર દબદબો કાયમ કરવો હોય તો તેમને પાડોશી દેશ સાથે સામાન્ય સંબંધ કરવા પડે. તેને વિશ્વાસમાં લઈ સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક સંબંધ મજબૂત કરવા પડે. આ જ રીતનો પ્રયાસ 'જનતા સરકાર'માં વિદેશ મંત્રી રહી ચુકેલા ગુજરાલે કરી હતી, જેને ગુજરાલ સિદ્ધાંત કહેવાય છે.
સિદ્ધાંત મુજબ- ભારત દક્ષિણ એશિયાનો સૌથી મોટો દેશ હોવાની સાથે નાના પાડોશી દેશને એક તરફી સત્તા દઈ તેની સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવામાં આવે.  
ગુજરાલ સિદ્ધાંતના મુખ્ય બિન્દુ ક્યાં ક્યાં છે?
૧. પાડોશી દેશ જેમકે માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂતાનની સાથે વિશ્વસનીય સંબંધ બનાવી વિવાદોને વાતચીતથી સમાધાન કરવું પડશે અને તેને કરવામાં આવેલી મદદના બદલામાં તરત જ મદદની અપેક્ષા રાખવી નહિ, તેમજ આર્થિક સંકટમાં મદદ કરવી પડશે.
૨. કોઈપણ દેશે એકબીજાના આંતરિક મામલામાં દખલ કરવી નહિ.
૩. દક્ષિણ એશિયાનો કોઈપણ દેશ તેની જમીનમાં બીજા દેશ વિરુધ દેશવિરોધી ગતિવિધિ નહિ ચલાવે.
૪. સર્વે દક્ષિણ એશિયાઈ દેશો વિવાદોને શાંતિથી પૂર્ણ કરશે.
૫. અખંડિત રહી એક બીજાનું સન્માન કરીશું અને આર્થિક કે શ્રમિક રીતે મદદ કરીશું.
ગુજરાલ સિદ્ધાંત મુજબ ૧૯૯૬ની સાલમાં બાંગ્લાદેશને ગંગાજળનો એક ભાગ દેવો પડ્યો હતો. જો કે આ સિદ્ધાંત કામયાબ નહિ થવાનું કારણ ચીનના ઈશારે નેપાળ, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકા ઝેર ઓકી રહ્યા છે. વિદેશનીતિમાં સાર્કના સભ્યો તરીકે ભારતને વ્યાપાર માટે એકતરફી રિયાસત મળી છે.

Thursday, 19 April 2018

ભારતનું મુસાફરી વિમાન 'સરસ' હવે ઉડવા તૈયાર

ભારતનું સ્વદેશી મુસાફરી વિમાન 'સરસ'એ બેંગ્લોરના એચએએલ નામના હવાઈમથકેથી બીજી સફળ ઉડાન ભરી હતી. મુસાફરીમાં હળવું 'સરસ' વિમાનનું પરીક્ષણ ૨૪મી જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. વિમાનની ડીઝાઇન સીએસઆઈઆર-નેશનલ એયરો સ્પેસ લેબોરેટરીઝ(એનએએલ) દ્વારા કરાયું હતું. આ સંસ્થાનો દાવો છે કે ૨૦૧૮ની સાલમાં જૂન અને જુલાઈ સુધીમાં મોડેલ પૂરી રીતે ડીઝાઇન થઈ ઉત્પાદન માટે તૈયારી કરીશું.
સરસ વિમાનની વિશેષતા:
એનએએલ ડીઝાઇનમાં કેટલાક ફેરફાર કરાયા છે, પ્રથમ પીટી ૧ મોડેલમાં સુધારો કરાયો; જેથી બીજા ખંડમાં ઉતાર ચઢાવ માટે સમર્થ રહે.
આધુનિક ઉડાન નિયંત્રણ પ્રણાલી પ્રક્ષેપણ કરાઈ છે.
મુખ્ય ટાયર અને બ્રેકમાં ફેરફાર
૭૧૦૦ કિલોગ્રામ એઉવી વિકસિત સ્ટોલ ચેતવણીની પ્રણાલી મૂકાઈ છે.
આયાત વિમાન કરતા ૨૦ ટકા સસ્તા વિમાન હશે.
આધુનિક સંસ્કરણ બાદ ૧૪ સીટની જગ્યાએ ૧૯ સીટનું વિમાન રહેશે.

Friday, 30 March 2018

ભારતના પ્રથમ મહિલા ડોક્ટર કોણ હતા,  જાણો છો આપ?

First Lady Doctor in India
૩૧ માર્ચના દિવસે ગુગલબાબા હોમપેજમાં પ્રથમ મહિલા ડોક્ટર વિશે જણાવે છે. જેનું નામ આનંદીબાઈ(મરાઠી નામ) જોશી છે. ૧૮૬૫ની સાલમાં કલ્યાણ ગામે જન્મેલા આનંદીબાઈના લગ્ન ૯ વર્ષની ઉમરે ૨૫ વર્ષના ગોપાલરાવ જોશી સાથે થયા હતા.
લગ્ન બાદ પતિના આગ્રહને કારણે તેણીને ભણવામાં રસ જાગ્યો. 
૧૮૮૬ની સાલમાં ૧૯ વર્ષની ઉંમરે મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણ મેળવવા અમેરિકા ગયા, તેમણે એમ.ડી.ની ડિગ્રી મેળવી. તે એમડી અને પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર બન્યા.
ડિગ્રી લીધા બાદ, આનંદીબાઈ દેશ પરત ફર્યા. પરંતુ તે સમય દરમિયાન તેઓ ટીબીના ભોગ બન્યા હતા. દિવસેને દિવસે તબિયત બગડતા ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૭ના રોજ ૨૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા.

- 'આનંદી ગોપાલ'નામની મરાઠી કૃતિ સાહિત્યમાં 'ક્લાસિક' ગણવામાં આવે છે અને તેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.
- કેરોલીન વેલેસએ ૧૮૮૮માં આનંદીબાઈના જીવન પર જીવનચરિત્ર પણ લખ્યું હતું. જેના પર 'આનંદી ગોપાલ' નામની શ્રેણીબદ્ધ સીરીયલ બનાવાઈ અને દુરદર્શન પર પ્રસારિત થઈ હતી.
- પત્ની ભણે તો પતિ મૃત્યુ પામે તેવી માન્યતા સમયે પતિ ગોપાલ જોશીએ ખ્રિસ્તી ધર્મ ધારણ કરવાનું કહેતા આનંદીબાઈ જોશી સાત સમન્દર પાર કરી ભણ્યા હતા.

Monday, 22 January 2018

પ્રધાનમંત્રીના ટેબલ પર પરમાણું બટન ખરેખર છે?

ઉતર કોરિયાના શાસક કિમ જોંગ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પરમાણું બટન દબાવી દેવાની ધમકી આપવામાં આવે છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રીના ટેબલ ઉપર પરમાણું હુમલો કરવાનું બટન છે કે નહી, અથવા પળભરમાં પરમાણું હુમલો કરી શકાય કે નહી? તેને સમજીએ.

પરમાણું મામલામાં વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ટેબલ પર કોઈ પરમાણું બટન હોતું નથી, કે જેને દબાવીને બીજા દેશ પર હુમલો કરી શકાય. પણ પ્રધાનમંત્રી પાસે એક સ્માર્ટ કોડ જરૂર હોય છે. જેના વિના પરમાણું છોડી શકાય નહી.

પરમાણું હુમલાનો આદેશ કોણ આપી શકે?
ભારતમાં પરમાણું હુમલો કરવાનો નિર્ણય પ્રધાનમંત્રી જ લઈ શકે છે. જો કે, પરિસ્થિતિને ધ્યાને લઈ સુરક્ષા બાબતે કેબીનેટ કમિટી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ચેરમેન ઓફ ચીફ સ્ટાફ કમિટીની સલાહથી પરમાણું હુમલો કરવાનો નિર્ણય લેવાય છે.

પરમાણું હુમલો કરવાની પ્રક્રિયા શું છે?
·       
પ્રધાનમંત્રીની આગળ ચાલતા ગાર્ડના હાથમાં પરમાણું બ્રિફકેસ જોઈ શકાય છે.
 
પરમાણું બ્રિફકેસ: પ્રધાનમંત્રીની સાથે એક સિક્યુરિટી ગાર્ડ 20 કિલો જેટલા વજનની પરમાણું બ્રિફકેસ લઈ ચાલતા હોય છે. જેમાં કમ્પ્યુટર, રેડિયો ટ્રાન્સમિશન જેવા ઉપકરણનો સમાવેશ થાય છે. આ ઉપકરણો બુલેટપ્રૂફ હોય છે. બ્રિફકેસમાં જ્યાં હુમલો કરવાનો છે એવા ઠેકાણાની જાણકારી હોય છે. અત્યાર સુધીમાં લગભગ 5000 ઠેકાણાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
·         સ્માર્ટ કોડ: પ્રધાનમંત્રી પાસે એક સ્માર્ટ કોડ હોય છે. જે પરમાણું હુમલો કરવાના વેરીફીકેશન કોડના રૂપમાં પરમાણું કમાંડને મોકલવામાં આવે છે. પ્રધાનમંત્રી મનપસંદ કોડ રાખી શકે છે.
·         અન્ય બે સુરક્ષિત કોડ: પ્રધાનમંત્રીના સ્માર્ટ કોડ સિવાય બીજા બે કોડ લોકરમાં બંધ હોય છે. જેના વિશે પરમાણું બેટરી યુનિટ વાયુસેનાના કમાન્ડીંગ ઓફિસર અને અન્ય બે અધિકારી કોડ જાણતા હોય છે, બંને અધિકારી પાસે અલગ અલગ લોકર હોય છે, જેને સુરક્ષિત કોડ કહે છે.
·         પરમાણું હુમલો ક્યારે થાય?: પ્રધાનમંત્રી પાસેથી સ્માર્ટ કોડ મળતા કમાન્ડીગ ઓફિસર બંને અધિકારીને કોડ બતાવે છે, અધિકારી સુરક્ષિત કોડ ખોલે છે, જે મળી જતા પરમાણું હુમલો કરી દેવામાં આવે છે.

હુમલાના આદેશ બાદ કેટલો સમય લાગે છે?

હુમલાના આદેશ બાદ તુરંત જ પરમાણું હુમલો કરવામાં આવતો નથી. નૌસેના દ્વારા મિસાઈલ તાકવામાં 35 મિનીટ જેટલો સમય લાગે છે. પરમાણું હુમલો કર્યાં પછી ત્રણેય સેના કમ્પ્યુટર નેટવર્કથી માહિતી મેળવતા રહે છે અને સુરક્ષા માટે સજ્જ રહે છે.

Sunday, 21 January 2018

પોલીસની વર્દીનો રંગ ખાખી જ કેમ?

જયારે ભારતમાં બ્રિટીશ રાજ હતું, ત્યારે પોલીસને સફેદ રંગની વર્દી પહેરવાનો હુકમ હતો. પરંતુ ડ્યુટી દરમિયાન વર્દી વધારે ગંદી થતી હતી. જેના કારણે પોલીસ કર્મચારીઓ પરેશાન થતા હતા. જેનાથી કંટાળી પોલીસે અલગ અલગ રંગોમાં વર્દીને રંગી હતી. અલગ અલગ રંગવાને કારણે વર્દી અલગ અલગ દેખાતી હતી. પોલીસ ઓફિસરોએ જેના ઉપાય તરીકે ખાખી રંગની ડાઈ તૈયાર કરાવી હતી. ખાખી રંગ પીળો અને ભૂરા રંગનું મિશ્રણ છે. 1847ની સાલમાં સર હેરી લમ્સડેન( sir Harry Lumsden)નામના અધિકારીએ ખાખી રંગને મંજુરી વર્દી માટે અનુમતિ આપી દીધી હતી. ત્યારથી ખાખી વર્દી પોલીસ પહેરે છે.
ખાખી વર્દીનો સંક્ષિપ્તમાં ઈતિહાસ
·         સર હેરી લમ્સડેન( sir Harry Lumsden) નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર સેનાના ગવર્નર એજન્ટ હતા અને લાહોરના રહેવાસી હતા. જેમણે ત્યાં “Corps of Guides” નામની સેના 1846ની સાલમાં તૈયાર કરી હતી. ત્યારે કોઈ ડ્રેસકોડ ન હતો, પરંતુ 1847ની સાલમાં સેનાની ભરતી સમયે પોલીસે ખાખી વર્દીને અપનાવી લીધી હતી.
પહેલી આધુનિક પોલીસ વિશે શું મત છે?
·      ·   BPRD(Bureau of Police Research and Development) સંસ્થા મુજબ પહેલી આધુનિક પોલીસ લંડનની મેટ્રોપોલિટન પોલીસ હતી. તેમણે 1829ની સાલમાં ડાર્ક બ્લ્યુ રંગનો યુનિફોર્મ બનાવ્યો હતો. જે પેરામીલીટરી સ્ટાઈલનો યુનિફોર્મ હતો. તેમણે બ્લ્યુ રંગ એટલે પસંદ કર્યો હતો કે બ્રિટીશની આર્મી લાલ અને સફેદ રંગનો યુનિફોર્મ પહેરતી હતી.

Saturday, 20 January 2018

ઓસ્ટ્રેલિયા ગૃપ(AG)નું 43મું સભ્ય૫દ ભારતને મળ્યું

ભારત ઓસ્ટ્રેલિયા ગૃપ(AG)નું 43મું સભ્ય બન્યું છે. આ ગૃપ પરમાણું અપ્રચારની એક મહત્વપૂર્ણ વ્યવસ્થા છે, જેનો હેતુ રાસાયણિક કે જૈવિક હથિયારો પર રોક લગાવવાનો છે. મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રીઝીમ(MTCR) અને વાસેનાર અરેંજમેન્ટ(WA) પછી ચાર મુખ્ય નિયંત્રણ વ્યવસ્થામાંથી એક એજીનું સભ્યતા પદ મળતા ભારતને 48 સભ્યપદ ધરાવતા પરમાણું સમૂહ(NSG)માં પોતાની દાવેદારી નોંધાવવા માટે મદદ મળી શકે છે.

ઓસ્ટ્રેલિયા ગૃપ(AG) શું છે?
આ ગ્રુપની સ્થાપના 1985ની સાલમાં થઈ હતી, જયારે એક વર્ષ પહેલા પૂર્વ ઈરાક દ્વારા રાસાયણિક હથિયારોનો ઉપયોગ થયો હતો. ગ્રુપનો ઉદ્દેશ્ય સભ્ય દેશોની મદદ કરવાનો છે, જેમાં રાસાયણિક અને જૈવિક હથિયારોના પ્રચારને રોકી શકાય છે.

Friday, 19 January 2018

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે ગુરુવારે સવારે અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ કર્યું. ટૂંક સમયમાં તે દેશના વ્યૂહાત્મક દળોના કમાન્ડ (એસએફસી)માં શામેલ થશે. તે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે, અને પરમાણુ શક્તિથી સજ્જ છે. મિસાઈલની શ્રેણી પાંચ હજાર કિલોમીટર વિશે કહેવામાં આવી છે. ઓડિશાના અબ્દુલ કલામ આઇલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ બાબત એ છે કે આ મિસાઈલ ચાઇનાના ઉત્તર ભાગ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને મિસાઈલની સફળ સિદ્ધિ વિશે જણાવ્યું હતું કે, "પરમાણુ સક્ષમ બેલાસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું છે. આ મિસાઇલથી રાષ્ટ્રીય શક્તિમાં વધારો થયો છે."

અગ્નિ-5 મિસાઈલની મુખ્ય વિશેષતા:
·       *  એક સાથે વધારે જગ્યાઓ ઉપર હુમલાઓ કરી શકાય છે.
·       *  એક જ વારમાં અલગ અલગ દેશોના ઠેકાણા ઉપર હુમલો કરી શકાય છે.
·       *  અગ્નિ-5 મિસાઈલની ઉંચાઈ 17 મીટર  તથા વ્યાસ 2 મીટર અને વજન 50 ટન છે.
·       *  આ મિસાઈલની ગતિ ધ્વનિની ગતિ કરતા ૨૪ ગણી વધારે છે.

·      *   અગ્નિ1 ની પ્રહાર ક્ષમતા 700 કિમીની, અગ્નિ-૨ની પ્રહાર ક્ષમતા 2000 કિમીની, અગ્નિ-૩ની પ્રહાર ક્ષમતા 2500, અગ્નિ-4ની પ્રહાર ક્ષમતા 3500 કિમીની છે અને અગ્નિ-5ની પ્રહાર ક્ષમતા 5000 કિમીની જાણવા મળી છે.

Thursday, 18 January 2018

મોબાઈલની શોધ પછીના ૨૨ વર્ષે ભારતમાં પહેલો મોબાઈલ આવ્યો હતો

વિશ્વનો પહેલો મોબાઈલ ફોન માર્ટીન કૂપર નામના અમેરિકી એન્જીનીયરે બનાવ્યો હતો. તેમણે ૩ એપ્રિલ ૧૯૭૩ની સાલમાં વિશ્વને પોતાની શોધ બતાવી હતી. આ શોધ તેમણે સામાન્ય નાગરિક માટે બનાવ્યો હતો, પરંતુ તેનો ઉપયોગ આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો. માર્ટીન કૂપરે પોતાની ન્યૂ જર્સીમાં આવેલી બેલ લેબ્સ નામની કંપનીમાં પહેલો કોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે મોટોરોલા નામની પ્રતિષ્ઠિત કંપની સાથે કરાર કરી મોબાઈલનું ઉત્પાદન શરુ કર્યુ અને સીઈઓ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓને ૨૦૧૩ની સાલમાં માર્કોની પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશ્વની પહેલી કોમર્શિયલ સેલ્યુલર ફોન સેવા એન્ટીટી નામની કંપનીએ ૧૯૭૯ની સાલમાં જાપાનથી શરુ કરી હતી. ત્યારબાદ ૧૯૮૧ની સાલથી ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનમાં મોબાઈલ ફોનની સેવા શરુ થઈ હતી. ૧૯૮૩ની સાલમાં અમેરિકાના શિકાગો શહેરમાં અમેરીટેક નામની કંપનીએ 1-G નેટવર્કની શરૂઆત કરી હતી. ભારતમાં મોબાઈલ ફોનની પ્રથમવાર સેવા ૧૫ ઔગષ્ટ ૧૯૯૫ની સાલમાં દિલ્હી ખાતે શરુ થઈ હતી.